SVF દ્વારા ‘જય કનૈયાલાલ કી’નું ટ્રેલર લોન્ચ; પારિવારિક મનોરંજન સાથે લાગણીઓ અને હાસ્યનો અનોખો સંગમ

•             ફિલ્મ 9 જાન્યુઆરી, 2026ના રોજ થશે રિલીઝ

•             ટ્રેલર લિંક- https://www.youtube.com/watch?v=GmcZhgEMC7E

SVF દ્વારા મચ અવેઈટેડ ફિલ્મ ‘જય કનૈયાલાલ કી’ નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. પ્રખ્યાત દિગ્દર્શક ધર્મેશ એસ. મહેતા દ્વારા નિર્દેશિત આ એક સંપૂર્ણ પારિવારિક ડ્રામા ફિલ્મ છે. ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર સિદ્ધાર્થ રાંદેરીયા આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. હાસ્ય, લાગણી અને રોજિંદા પારિવારિક જીવનના સંઘર્ષોની આ વાર્તા નમનરાજ પ્રોડક્શન્સ પ્રા. લિ. અને સિદ્ધાર્થ રાંદેરીયા પ્રોડક્શન LLPના સહયોગથી તૈયાર કરવામાં આવી છે.

ટ્રેલરમાં એક મધ્યમવર્ગીય પરિવારની હૃદયસ્પર્શી ઝલક જોવા મળે છે, જ્યાં શ્રદ્ધા, પરિવાર, ગેરસમજો અને હાસ્યનો સુમેળ છે. પારિવારિક સંબંધોની હૂંફ અને જીવનના નાના-મોટા કિસ્સાઓને વણી લેતી આ ફિલ્મ અત્યંત વાસ્તવિક લાગે છે. હાસ્યની સાથે સાથે ભાવુક ક્ષણોનું સંતુલન જાળવીને આ ટ્રેલર પ્રેક્ષકોને એક આત્મીય અનુભવ કરાવે છે.

ટ્રેલરના દ્રશ્યોમાં કલરફુલ અને જીવંત દુનિયા જોવા મળે છે. સિદ્ધાર્થ રાંદેરીયા એક સામાન્ય માણસના પાત્રમાં જોવા મળે છે, જે નમ્ર, મક્કમ અને અત્યંત પ્રિય લાગે તેવા છે, જે જીવનના પડકારોનો સામનો હળવાશ અને ચતુરાઈથી કરે છે. આ વાર્તા માત્ર હળવી મજાક જ નહીં, પરંતુ ગાઢ લાગણીઓ પણ રજૂ કરે છે જે દરેક પેઢીના દર્શકોને સ્પર્શશે.

ફિલ્મમાં હિતુ કનોડિયા, વૈશાલી ઠક્કર, અનેરી વજાણી, શ્રેય મારડિયા સહિતના કલાકારોની મજબૂત ટીમ જોવા મળશે, જેઓ સાથે મળીને સંસ્કૃતિ અને લાગણીઓથી ભરેલા એક પરિવારને જીવંત કરે છે.

ટ્રેલર લોન્ચ પ્રસંગે સિદ્ધાર્થ રાંદેરીયાએ જણાવ્યું હતું કે, “આ વાર્તા સામાન્ય જીવનની સાદગી અને હિંમતની વાત કરે છે. ટ્રેલરમાં એ જ લાગણીઓ દેખાય છે જેને આપણે ઘણીવાર અવગણીએ છીએ, જેવી કે શ્રદ્ધા, રમૂજ અને પરિવાર માટે અપાતું બલિદાન. આ ફિલ્મ પૂરા દિલથી બનાવવામાં આવી છે અને મને ખાતરી છે કે દર્શકો આમાં પોતાની જાતને જોઈ શકશે.”

દિગ્દર્શક ધર્મેશ એસ. મહેતાએ ઉમેર્યું હતું કે, “ ‘જય કનૈયાલાલ કી’ દ્વારા હું એવી વાર્તા કહેવા માંગતો હતો જે જાણીતી હોવા છતાં અર્થપૂર્ણ હોય. ટ્રેલર એ દુનિયા બતાવે છે જ્યાં શ્રદ્ધા અને કરુણા રોજિંદા નિર્ણયોમાં માર્ગદર્શન આપે છે. મને આશા છે કે તે પ્રેક્ષકોના ચહેરા પર સ્મિત લાવશે અને તેમને માનસિક રીતે જોડાવાનો અનુભવ કરાવશે.”

પરંપરા અને આધુનિકતાના સમન્વય સાથે, ‘જય કનૈયાલાલ કી’ એક સાર્વત્રિક પારિવારિક અનુભવ પૂરો પાડવાનું વચન આપે છે, જે થિયેટરમાંથી બહાર નીકળ્યા પછી પણ પ્રેક્ષકોના મનમાં જીવંત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top